કોંગ્રેસ હવે મુસ્લિમ આરક્ષણમાં ફસાઈ: શું કર્ણાટક સરકારનો નિર્ણય પક્ષ માટે ઘાતક સાબિત થશે?
- 24 Apr, 2024
સંપત્તિને વહેંચવા પર ઘેરાયેલી કોંગ્રેસ હવે મુસ્લિમ રિઝર્વેશન પર ફસાઈ છે. આ હવે લોકસભા ચૂંટણીનો મુદ્દો પણ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તમામ મુસ્લિમોને ઓબીસી ક્વોટામાં મૂકીને આ સમાજના લોકોને મળનારું રિઝર્વેશન કાપી નાંખ્યું છે.
છત્તીસગઢમાં ચૂંટણી રેલી કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે વધુ એક પાપ કર્યું છે. મુસ્લિમ સમુદાયમાં જેટલી પણ જાતીઓ છે, તે બધાને તેમણે ઓબીસી ક્વોટામાં મૂકીને ઓબીસી બનાવી દીધા છે. એટલે કે આપણા ઓબીસી સમાજને જે લાભ મળતો હતો, તેનો મોટો હિસ્સો કપાઈ ગયો છે.
મુસ્લિમ આરક્ષણનો આ મુદ્દો વધી રહ્યો છે. પરંતુ શું આવું ખરેખર થયું છે? બીજેપી સાંસદ હંસરાજ આહીર જણાવ્યું કે કર્ણાટકમાં ઓબીસીને 32 ટકા રિઝર્વેશન મળે છે. આ જ કેટેગરીમાં તમામ મુસ્લિમ જાતીયોને પણ સામેલ કરી લેવામાં આવી છે. તેનાથી કર્ણાટકમાં તમામ મુસ્લિમને 4 ટકા રિઝર્વેશન મળ્યું છે.
કર્ણાટકમાં 32 ટકા ઓબીસી રિઝર્વેશન છે. તેને પાંચ કેટેગરીમાં-1, 2A, 2B, 3A અને 3Bમાં વહેંચવામાં આવ્યું છે. કેટેગરી 1માં 391 જાતીયો અને ઉપજાતીયો છે, જેમાંથી મુસ્લમાનોની પણ 17 જાતીયો છે. આ કેટેગરીમાં 4 ટકા રિઝર્વેશન મળે છે. કેટેગરીમાં 2Aમાં 393 જાતીયો અને ઉપજાતીયો છે અને તેમાં મુસલમાનોની 19 જાતીયો છે. આ કેટેગરીમાં સામેલ જાતીયોને 15 ટકા આરક્ષણ આપવામાં આવે છે. ત્રીજી કેટેગરી 2Bની બનાવવામાં આવી છે અને તેમાં મુસ્લિમોની તમામ જાતીયોને સામેલ કરવામાં આવી છે. આ રીતે તમામ મુસ્લિમોને રાજ્યમાં 4 ટકા આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકી બચેલી 3A કેટેગરીમાં 4 ટકા અને 3Bમાં 5 ટકા આરક્ષણ મળે છે. આ હિસાબથી કર્ણાટકમાં કુલ 883 જાતીયો અને ઉપજાતીયોને ઓબોસી રિઝર્વેશન મળે છે. આ રિઝર્વેશન તેમને સરકારી નોકરીઓ અને સરકારી શિક્ષણ સંસ્થાઓમાં મળે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ